Chapter : હજ
(Page : 244-245)
સવાલ :– મારાથી હજમાં એક ભૂલ થઈ ગઈ તે એ કે હજ પૂરી કર્યા બાદ જયારે હું કુરબાની આપવા ગયો તો હમે છ માણસોના છ ભાગો અને સાતમો હિસ્સો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો રાખ્યો હતો, પરંતુ મારા સાથીદારોને મેં પૂછયું કે ભાઈ મારે મારી દાદીના નામની કુરબાની આપવી છે, તો બધાએ કહયું કે તમે કુરબાની ગમે તેની આપી શકો છો. એમાં એક વાત છે કે હજ મેં મારા નામની કરી અને કુરબાની ફકત દાદીના નામની તો આ ખોટું છે કે ખરું? જો ખોટું હોય તો આના માટે શું કફફારો આપવો પડે તે જણાવો?
જવાબ :–જો તમોએ હજના આ સફરમાં હજ અદા કરતાં પહેલાં ઉમરહનો એહરામ પણ બાંધ્યો હતો અને ઉમરહ પણ અદા કર્યો હતો તો હવે તમારી ઉપર કુરબાની લાયક ત્રણ (૩) બકરાઓનો દમ આપવો જરૂરી છે, એક બકરાનો દમ તો તમારી ઉમરહ – હજની કુરબાની તરીકે અને બીજા બકરાનો દમ હજ – ઉમરહની વાજિબ કુરબાની કરતાં પહેલાં એહરામ ખોલી હલાલ થઈ જવાના કફફારા પેટે અને ત્રીજા બકરાનો દમ કુરબાનીનો સમય વીતી ગયા પછી કુરબાની મોડી કરવાના કફફારા તરીકે, આ ત્રણેવ કુરબાનીઓ હરમની હદમાં જ કરવી જરૂરી છે. હરમની હદથી બહાર બીજા કોઈ સ્થળે કરવી જાઈઝ અને દુરસ્ત નથી અને દાદીના નામથી કરાવેલી કુરબાની તમારી હજ ઉમરહ ની વાજિબ કુરબાની માટે પુરતી નહિ ગણાય.
અને જો તમોએ હજના આ સફરમાં ઉમરહ અદા કર્યો નથી, ફકત હજ જ અદા કરી છે તો તમારા ઉપર હજ –ઉમરહની કુરબાની (દમે તમત્તુઅ અથવા કિરાન) આપવી જરૂરી નથી અને ન કફફારાનો કોઈ દમ આપવો જરૂરી છે અને હજના દિવસોમાં મુસાફિર હોવાના કારણે ઈદની કુરબાની પણ તમારા ઉપર વાજિબ ન હતી, માટે તમોએ કરેલ હજ અને કુરબાની વિના કરાહતે દુરસ્ત છે. (શામી –ર/૧૯૩/૧૯૬, ઝુબ્દતુલ મનાસિક– ર/૭)
Log in or Register to save this content for later.