Chapter : ઝકાત
(Page : 93)
સવાલ :– ખેતીની પેદાવારનું ”ઉશ્ર” સીઝન ઉપર અદા કરી દીધુ છે તો હવે પછી રમઝાન માસમાં ઝકાતનો હિસાબ કરવામાં આવે ત્યારે ખેતીની રકમ ઉપર ઝકાત વાજિબ થશે કે નહિ?
જવાબ :–જમીનની પેદાવારનું ઉશ્ર આપ્યા પછી જો પેદાવાર વેચીને રોકડ રકમ જમા રાખી હોય તો રોકડ રકમની ઝકાત આપવી પડશે અને જો ખેત ઉત્પાદન અનાજ વગેરેની સૂરતમાં જ મવજૂદ છે તો તેની ઝકાત કાઢવી ઝરૂરી નથી.(શામી – ર)
Log in or Register to save this content for later.