Chapter : નમાઝ
(Page : 84-85-86)
સવાલ :– એક ગામમાં રમઝાન માસમાં તરાવીહ પઢાવવા માટે હાફિઝો બહારથી બોલાવવામાં આવે છે અને તે હાફિઝોને મસ્જિદના ભંડોળમાંથી હદિયો આપવામાં આવે છે અને બીજું એવું બને છે કે, સત્તાવીસમી રાત્રે તરાવીહમાં કુર્આન શરીફ પૂરું કરવામાં આવે છે અને કુર્આન પૂરું થઈ ગયા પછી મોટા ભાગના નમાઝીઓ નમાઝમાં આવતા બંધ થઈ જાય છે. તો મૌલવી સાહેબનું કહેવું છે કે, કુર્આન શરીફ ર૯ મી અથવા ૩૦ મી તરાવીહમાં પૂરું કરવું જોઈએ. જેથી લોકો રમઝાન પૂરો થતાં સુધી પાબંદીથી નમાઝ અને તરાવીહ પઢતા રહે, તો ગામવાસીઓ કહે છે કે, કુર્આન શરીફ ર૭ મી રાતે જ પૂરું થાય, ર૯ મી કે ૩૦ મી રાતે પૂરું ન થાય, અને મૌલવી સાહેબને કહે છે કે, તમારે આવા નવા ફિત્ના ઊભા કરવા નહિં. તો આપ ર૯ – ૩૦ મીના કુર્આન શરીફ પૂરું કરવા વિશે શરીઅતનો હુકમ લખશો.
જવાબ :– મસ્જિદના ભંડોળમાંથી હાફિઝોને હદિયો આપવો જાઈઝ નથી અને તરાવીહ પઢાવવાનો પગાર આપવો પણ જાઈઝ નથી. (‘શામી ૩/પ)
ર૭ મી રાતે એ નિય્યતે કુર્આન શરીફ ખત્મ કરવું કે ઘણી હદીસોમાં ખાસ ર૭ મી રાતને શબેકદ્ર બતાવવામાં આવી છે, તો શકય છે કે શબેકદ્રમાં કુર્આન શરીફ ખત્મ કરવાની બરકત પણ પ્રાપ્ત થઈ જાય, એ મુસ્તહબ છે, ઝરૂરી અને વાજિબ નથી.
ર૯ કે ૩૦ ના કુર્આન શરીફ તરાવીહમાં ખત્મ કરવું, અને તે પણ સવાલમાં લખવા મુજબ ખાસ મસલિહતોને નજર સમક્ષ રાખીને એ કોઈ ફિત્નાની કે નવી વાત નથી; બલ્કે હઝરત ઈમામ આઝમ (રહ.)થી પણ મનકૂલ છે કે, તરાવીહની દરેક રકઅતમાં દસ આયતો પઢવામાં આવે. તાકે તરાવીહની કુલ ૬૦૦ રકઆતમાં કુર્આનનું એક ખત્મ થઈ જાય. ફતાવા કાઝીખાનમાં તરાવીહની એક રકઅતમાં કમથી કમ દસ આયતો પઢવાને સહીહ લખ્યું છે. અને સાહિબે કબીરી (રહ.)એ એ પ્રમાણે કુર્આન શરીફ ખત્મ કરવાને આજકાલ લોકોની સુસ્તીના કારણે યોગ્ય અને અફઝલ બતાવ્યું છે.
એ વાત પણ જાહેર છે કે, તરાવીહમાં ખત્મે કુર્આન શરીફ એક સુન્નત છે અને રમઝાન મુબારકની આખરી રાત સુધી તરાવીહ પઢવી દરેક વ્યકિત માટે બીજી સુન્નતે મુઅક્કદહ છે અને તરાવીહની જમાઅત કરવી દરેક મસ્જિદના નમાઝીઓ માટે સુન્નતે કિફાયહ છે. જો ર૯–૩૦ મી રાતે કુર્આન શરીફ તરાવીહમાં પૂરું કરવાથી લોકોની બંને સુન્નતો અદા થતી હોય; બલ્કે ફર્ઝ છૂટવાથી પણ લોકો બચી શકતા હોય તો તે પ્રમાણે કુર્આન શરીફ પૂરું કરવું બહેતર છે અને ર૭ મીના ખત્મ ઉપર વાજિબની જેમ આગ્રહ રાખવો દુરૂસ્ત નથી.(‘શામી તરાવીહ ૧, ‘કબીરી ૪૦૬)
Log in or Register to save this content for later.