Chapter : નમાઝ
(Page : 382)
સવાલ :– અમારા ગામમાં ઈમામ સાહેબ ફજરની નમાઝ પાબંદીની સાથે વખત પર પઢાવે છે અને મસ્જિદના સહનના ઉપરના ભાગમાં એક કમરામાં જ રહે છે. એક બશર હોવાના કારણે તેમની સાથે બશરી તકાઝા પણ લાગેલા છે. તેથી વર્ષમાં એકાદ બે વાર જ પાંચેક મિનિટ મોડા પડે છે, થોડા દિવસ પહેલાં તેઓ ત્રણ–ચાર મિનિટ મોડા પડયા, અમારે ત્યાં એક ભાઈ જેમનું કુર્આન પઢવું તજવીદ સાથે નથી, એટલે કે કુર્આન સહીહ નથી, તેઓ આગળ વધ્યા અને ઈમામ સાહેબને એક ભાઈ બોલાવવા ગયા હોવા છતાં તેમણે ઉતાવળ કરીને ઈમામ બની નમાઝ પઢાવવાની શરૂ કરી દીધી, તેઓએ પહેલી રકઅત પૂરી પણ ન હોતી કરી કે ઈમામ સાહેબ આવી ગયા અને તેમણે તે ભાઈ પાછળ નમાઝ પઢી.
તો શું જેનું કુર્આન પઢવું દુરૂસ્ત ન હોય તે આ રીતે નમાઝ પઢાવી શકે? શરીઅતમાં આવી કોઈ ગુંજાઈશ છે?
બીજી વાત શું ઈમામ સાહેબને અવાઝ દેવા ગયા હોવા છતાં રાહ ન જોતાં બીજા કોઈ આ રીતે નમાઝ પઢાવી શકે? કયારેક ઈમામ સાહેબ પાંચ સાત મિનિટ મોડા પડે તો મુકતદીઓએ તેમનો ઈન્તેઝાર કરવો જોઈએ કે નહિ ?
જવાબ :– આવી હાલતમાં કુર્આન શરીફ ગલત પઢનારે ઈમામત કરાવવી જાઈઝ નથી. અગર ઈમામત કરાવી તો નમાઝ મકરૂહે તહરીમી થશે. (શામી–૧) જો પાંચ – છ મિનિટમાં ઈમામના આવવાની આશા હોય, જેમકે પૂછેલી સૂરતમાં, તો ઈમામની રાહ જોવી જોઈએ, બીજા ગેર લાયક કે લાયક માણસે ઈમામ ન બની જવું જોઈએ અને કોઈ ખાસ અગવડ અને બશરી ઉઝરના કારણે કોઈક વાર ઈમામ સાહેબથી મોડું થઈ જાય તો સબરથી કામ લવું જોઈએ અને ગભરાહટમાં અપમાન જનક ઉચ્ચારણોથી બચી ઈમામની રાહ જોવી જોઈએ. (અહ.ફતાવા ભાગ–૩/ ૩૦૧)
Log in or Register to save this content for later.