Chapter : ઝકાત
(Page : 92)
સવાલ :– એક ભાઈએ મકાન વેચાણ લેવા માટે સોદો કર્યો છે અને એની કિંમત કરી થોડું બાનું આપી બાનાખત પણ કરેલ છે, પરંતુ મકાનનું ટાઈટલ ચોખ્ખુ ન હોય તે માટે ઝરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે હજુ સુધી દસ્તાવેજ થયો નથી અને રકમ પણ પૂરેપૂરી આપી નથી એ રકમ પર વર્ષ પસાર થાય તો તે રકમની ઝકાત આપવી ઝરૂરી છે ? યાદ રહે કે પૂરે પૂરી રકમ દસ્તાવેજ ન થવાના કારણે જ આપી નથી, જબાની લે–વેચ ગવાહો સાથે થયેલ છે.
જવાબ :– મકાનનો સોદો થઈ ગયા પછી કિંમત તરીકે ચુકવવામાં આવેલી રકમની ઝકાત આપવી લાઝિમ નથી અને મકાનની બાકી કિંમત પેટે જમા રકમની ઝકાત પણ લાઝિમ નથી, કારણ કે મકાન ખરીદીના કર્ઝમાં મશગૂલ છે. (શામી–ર)
Log in or Register to save this content for later.