Chapter : નમાઝ
(Page : 378)
સવાલ :– અમારા ગામ વાંતરસામાં પેશ ઈમામ અને મુઅઝ્ઝિન બન્નેવ હાજર છે, પરંતુ અમુક વખતે પેશઈમામ ગેર હાઝર હોવાથી મુઅઝ્ઝિન સાહેબને નમાઝ પઢાવવી પડે છે. અને મુઅઝ્ઝિન સાહેબ જાતે દિવાન છે, ગરીબ છે, શરઈ દ્રષ્ટિએ ઝકાત–સદકાતના મુસ્તહિક છે, જેથી એમને ઝકાત– સદકાત પણ આપીએ છીએ, તો શું આવા મુઅઝ્ઝિન પાછળ નમાઝ પઢવામાં કંઈ વાંધો ખરો ? નમાઝમાં કરાહત આવશે કે નહિ?
જવાબ :– ઈમામ સાહેબનું દીવાન અને ગરીબ હોવાના લઈ ઝકાત – સદકાતની રકમ સ્વીકારવી એ શરઈ દ્રષ્ટિએ ઐબ નથી. અને મજકૂર હાલતને લઈ તેઓની ઈમામતમાં અને મુકતદીઓની નમાઝમાં કોઈ કરાહત નહિ આવે.
Log in or Register to save this content for later.