[૪૭] મકાન માટે ખરીદેલ પ્લોટ

Chapter : ઝકાત

(Page : 88)

સવાલ :– એક માણસ પાસે ન તો સોનું છે, ન તો ચાંદી, ન તો રોકડ રકમ છે, ન તો વેપારનો માલ છે, અલબત્ત બે પ્લોટ છે અને ત્રીજો હપ્તાથી લીધેલ ૧૮૦૦૦/– નો પ્લોટ છે, તેમાંથી ૬૦૦૦/– ભરાયા છે, ૧ર૦૦૦/–  ભરવાના છે,  એવો વિચાર છે કે દરેક પ્લોટ પર ભાડે આપવા માટે રૂમ બનાવું, જેથી ફેમીલી ગુજરાનમાં મદદ થાય. તો શું ઝકાત આપવી પડશે કે નહિ ? શું ઝકાત લઈ શકાય કે નહિ ?

જવાબ :– મઝકૂર પ્લોટો વેપાર માટે નથી ખરીદયા એટલે તેના ઉપર  ઝકાત તો લાગુ નહિ પડે અને મઝકૂર પ્લોટોની કિંમત મુજબ ઝકાત નહિ આપવી પડે, પરંતુ મઝકૂર પ્લોટો હાલ રહેવા – વાપરવાની ઝરૂરતથી ફાઝલ હાલતમાં પડેલા છે અને તેની કિંમતમાંથી દેવું બાદ કરતાં ચાંદીના નિસાબના પ્રમાણમાં માલિકી બાકી રહે છે, એટલે આવા પ્લોટોના માલિકે ઝકાત લેવી જાઈઝ નથી અને કુરબાની તથા સદકએ ફિત્ર અદા કરવો ઝરૂરી છે.                 (શામી–ર/પ)

Log in or Register to save this content for later.