Chapter : હજ
(Page : 234-235)
સવાલ :– કોઈ માણસ એક શહેરથી બીજા શહેર તરફ મુસાફરી કરતાં રસ્તો ભૂલી જવાથી મક્કહ મુકર્રમહની હદમાં દાખલ થઈ ગયો અને દાખલ થયા પછી ખબર પડી કે હું મક્કહની હદમાં દાખલ થઈ ચૂકયો છું અને તેની ઉમરહ કરવાની નિય્યત પણ ન હતી અને મજબૂરીના કારણે તે માણસ ઉમરહ કરી શકે તેમ ન હતો તો તેના વિશે શું મસ્અલો છે? જવાબ :– આવી ઘટના વિષે સ્પષ્ટ મસ્અલો તો કોઈ કિતાબમાં નજરે પડયો નથી, પરંતુ આવી ઘટનાઓના બીજા સામાન્ય મસાઈલથી માલૂમ પડે છે કે મજકૂર માણસ ઉપર મક્કહ મુકર્રમહ અથવા હરમની હદમાં વિના ઈરાદે દાખલ થવાથી ન હજ કે ઉમરહ કરવો વાજિબ છે અને વિના એહરામે મીકાત ઉપર પસાર થવાથી ન દમ (જાનવર ઝબહ કરવું) વાજિબ છે.
કારણ કે મીકાત ઉપરથી પસાર થનાર માણસનો ઈરાદો મીકાત ઉપરથી પસાર થતી વખતે મક્કહ મુકર્રમહ અથવા હરમની હદમાં દાખલ થવાનો ન હોય, બલ્કે તે સિવાય બીજી કોઈ જગ્યાએ જવાનો હોય અને હરમમાં દાખલ થવાના ઈરાદા વગર મીકાત ઉપરથી પસાર થઈ ગયા પછી તે માણસ હજ અથવા ઉમરહના ઈરાદા વગર મક્કહ અથવા હરમ શરીફની હદમાં દાખલ થાય તો તેના ઉપર હજ કે ઉમરહ વાજિબ થતો નથી અને ન દમ આપવો વાજિબ થાય છે.
Log in or Register to save this content for later.