Chapter : નમાઝ
(Page : 377)
સવાલ :– એક ઈમામ સાહેબ સુરએ ફાતિહામાંالحمد للّٰہ અલ્હમ્દુલિલ્લાહિ માં અલ્લાહની હા ”ہ”ના નીચેના ઝેરને એક અલિફના મિકદાર જેટલું ખેંચે છે. જેના કારણે ی મદ્દહ પેદા થાય છે. અને આ વસ્તુ પર ઈમામ સાહેબની મુદાવમત (હંમેશગી) છે તો ઈમામ સાહેબનુ આ પ્રમાણે પઢવું સહીહ છે ? કે પછી નમાઝમાં કંઈ નુકશાન પેદા થાય છે ?
જવાબ :– લિલ્લાહિના ઝેરને ખેંચીને પઢવાથી યાએ મદ્દહ પેદા થવાથી દેખીતી રીતે અર્થમાં કોઈ ખરાબી પેદા થતી નથી, પરંતુ ઈલાહીની જેમ તેને યાએ મુતકલ્લિમ તરફ મુઝાફ માનવામાં આવે તો ઈઝાફતનો અર્થ પેદા થાય છે જો કે તે સૂરતમાં કોઈ ગલત અર્થ નહિં થાય. માટે આવુ પઢવાથી નમાઝ તો ફાસિદ નહિ થાય, પરંતુ જો ઈમામ સાહેબ ભૂલ ન સુધારતા હોય અને આવી ભૂલ ન કરે તેવા માણસ મવજૂદ હોય તો તેઓને ઈમામ બનાવવા મકરૂહ છે. કારણ કે સારી રીતે તજવીદથી પઢનારની મવજૂદગીમાં તજવીદની રિઆયત ન કરનારને ઈમામ બનાવવાને ફુકહાએ કિરામ મકરૂહે તહરીમીથી નીચલી કક્ષાની અને કરાહતે તનહીથી ઉપલી કક્ષાની કરાહત લખે છે. (ઈમ.ફતાવા ભાગ–૧/૪૦૭)
Log in or Register to save this content for later.