Chapter : ઝકાત
(Page : 87-88)
સવાલ :– એક ઓરત ગુઝરી ગઈ, તે સાહિબે નિસાબ માલદાર ઓરત હતી, તે જયારે મૃત્યુ પામી ત્યારે ઝકાતનું વર્ષ પૂરું થવાને ૪ મહિના બાકી હતા, તો હવે મરહૂમાએ છોડેલા માલની ઝકાત અદા કરવાનો શું હુકમ છે ? શું ચાર મહિના પૂરા થયા પછી ઝકાત આપવી પડશે?
જવાબ :– મરહૂમાએ છોડેલા ઝકાતપાત્ર માલની ઝકાત આપવાનો હુકમ આ પ્રમાણે રહેશે કે ઝકાતનું વર્ષ પૂરું થતાં પહેલાં મરહૂમાની વફાત થઈ ગઈ એટલે મરહૂમાના શિરે તો વફાતના વર્ષની મઝકૂર માલની ઝકાત આપવી ફર્ઝ થઈ નથી, કારણકે જયાં સુધી ઝકાતનું વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી ઝકાત આપવી ફર્ઝ થતી નથી અને મરહૂમહની વફાત થવાથી તેણીએ છોડેલો ઝકાત પાત્ર માલ વારસા વહેંચણી પહેલાંના હકકોની અદાયગી પછી મરહૂમાના શરઈ વારસદારોની માલિકીનો ગણાશે અને શરીઅતના કાયદા મુજબ જે તે વારસદારના હિસ્સામાં જેટલો ઝકાતપાત્ર માલ આવશે અને તે વારસદાર સાહિબે નિસાબ માલદાર હશે તો તે વારસદારનું ઝકાતનું વર્ષ પૂરું થાય ત્યારે તેણે આ વારસામાં મળેલા અને તે વારસદારનું ઝકાતનું વર્ષ પૂરું થતા સુધી જમા રહેલા ઝકાત પાત્ર માલની ઝકાત પણ આપવી પડશે, ચાહે વારસા રૂપે તેની માલિકીમાં આવ્યા પછી ખાસ તે માલ પર વર્ષ પૂરૂં ન થયું હોય, કારણ કે ઝકાતના વર્ષ દરમિયાન પ્રાપ્ત થનાર માલની ઝકાત પણ માલદારે તેનું ઝકાતનું વર્ષ પૂરું થાય ત્યારે અદા કરવી ફર્ઝ થાય છે. (શામી–૧૦/ર૩–ર)
Log in or Register to save this content for later.