Chapter : હજ
(Page : 233-234)
સવાલ :– જિદ્દહમાં નોકરી – ધંધા માટે રહેતા ભાઈઓમાંથી કોઈ ભાઈ રમઝાનુલ મુબારકમાં ઈન્ડિયા રજાઓ પસાર કરવા માટે ગયા અને દસ શવ્વાલના અહિંઆ પાછા આવ્યા તો તે આફાકી હુદૂદના બહાર ગયા અને હવે ફરી પાછા હુદૂદમાં આવ્યા તો એમના માટે ઉમરહ કરવો જરૂરી છે કે નહિ? જો તે ચાલુ સાલે હજ કરવાના હોય તો શું હુકમ છે? અને હજ ન કરવાના હોય તો શું હુકમ છે?
જવાબ :– જિદ્દહ શહર ઉલમાએ કિરામના એક મંતવ્ય મુજબ મીકાતની હદની અંદર દાખલ છે જેને ”હિલ્લે સગીર” કહેવામાં આવે છે અને બીજા મંતવ્ય મુજબ એક ખાસ મીકાત ઉપર આવેલું શહેર છે અને જે આફાકી માણસ (એટલે મીકાતની હદથી બહારનો રહેવાસી) નોકરી – ધંધા અર્થે ખાસ મીકાત ઉપર અથવા મીકાતની હદથી અંદર અને હરમની હુદૂદથી બહાર જાય તેના ઉપર ઉમરહ કરવો જરૂરી નથી. ચાહે તે હજ કરવાનો હોય કે ન કરવાનો હોય.
આ વિગતથી મજકૂર માણસનો હુકમ સમજી શકાય છે કે જયારે તે ઈન્ડિયામાં રજાઓ પસાર કરીને દસ શવ્વાલના જિદ્દહ પહોંચે તો તેઓના ઉપર ઉમરહ કરવો જરૂરી નથી. અલબત્ત, ઈન્ડિયાના મીકાત ઉપરથી પસાર થતી વખતે એવી નિય્યત હોય કે હું સર્વ પ્રથમ સીધો હરમ શરીફમાં જઈને ઉમરહ કરીશ અથવા સીધો હરમ શરીફમાં જઈશ અને ફરી નોકરીના સ્થળે જિદ્દહ પહોંચીશ તો આ સૂરતમાં મજકૂર આફાકી માટે વીમાનની મુસાફરીમાં ”કરનુલ મનાઝિલ” નામના મીકાતની હદ ઉપરથી પસાર થતાં પહેલાં એહરામ બાંધી લેવો વાજિબ અને જરૂરી છે, પરંતુ વીમાનની મુસાફરીમાં એ વાતની જાણ થવી મુશ્કેલ છે કે કયા સમયે વીમાન ”કરનુલ મનાઝિલ”ની હદ ઉપરથી પસાર થવાનું છે,
માટે એહતિયાતની વાત એ છે કે વીમાનમાં સવાર થતાં પહેલા મુંબઈથી એહરામ બાંધી લેવામાં આવે. (ઝુ.મનાસિક – ર/૧ર૧, જ.ફિકહ – ૧)
Log in or Register to save this content for later.