[૩૪૬] બિદઅતી પાછળ નમાઝ

Chapter : નમાઝ

(Page : 375)

સવાલ :–  અમો ચાર પાંચ માણસો તબ્લીગ જમાઅતનું કામ કરીએ છીએ અને ત્યાં મોટી મસ્જિદમાં નમાઝ પઢીએ છીએ, અમારી કસ્બાની મસ્જિદમાં ઈમામથી માંડી બધાજ બિદઅતી છે અને બિદઅતના બધા જ કામો નમાઝ પછી સલામ – મુસાફહ વિગેરે કરે છે, અમોને વહાબી કહી અમારાથી નફરત કરે છે. એટલે બીજી મસ્જિદમાં નમાઝ પઢીએ છીએ અમે સાભળ્યું છે કે બિદઅતી ઈમામ પાછળ નમાઝ થતી નથી, દોહરાવવી પડે છે, તો શું બિદઅતી ઈમામ પાછળ નમાઝ દોહરાવ્યા વગર પઢી શકાય કે નહિં ?

જવાબ :–  જો બિદઅતીના તે અકીદાઓમાં કોઈ ખરાબી ન હોય કે જે અકીદાઓ કુર્આન – હદીષથી સ્પષ્ટ શબ્દોમાં સાબિત છે, તેઓ ફકત અમલી બિદઅતોને સવાબનું કામ સમજી કરતા હોય અને નમાઝના ફર્ઝો, વાજિબો અને સુન્નતોને બરાબર અદા કરતાં હોય તો તેઓની પાછળ જમાઅતથી નમાઝ પઢવી એકલી નમાઝ પઢવા કરતાં બેહતર છે અને જો ઉકત પ્રકારના અકીદાઓમાંથી કોઈ અકીદાની ખરાબી હોય અથવા નમાઝના ફર્ઝો – વાજિબો અને સુન્નતોને બરાબર અદા ન કરતા હોય તો તેઓની પાછળ નમાઝ અદા ન થઈ શકે. એકલી પઢવી જોઈએ.

(શામી ભાગ – ૧ / કબીરી)

                સામાન્ય રીતે બરેલવી હઝરાત ઈમામોની કિરાઅત વિગેરેની ઘણી ભૂલો હોય છે એટલે બીજી મસ્જિદમાં જમાઅતથી નમાઝ પઢવી બેહતર છે.

Log in or Register to save this content for later.