[૩૪૪] વિના વુઝૂએ પઢાવેલી નમાઝનું એલાન

Chapter : નમાઝ

(Page : 374)

સવાલ :– અમારા ગામમાં એક ઉસ્તાદ છે. જે કયારેક નમાઝ પઢાવે છે અને અકસર અસરના વુઝૂથી મગરિબ તેમજ ઈશા પણ પઢે છે. દા.ત. એક દિવસે અસર બાદ ઈસ્તિન્જા માટે ગયા અને એમ વિચારીને કે જરા રહીને વુઝૂ કરી લઉં અને ભૂલી ગયા અને ભૂલથી મગરિબની કે ઈશાની નમાઝ પઢાવી તો એનો શું રસ્તો છે ?  મુકતદીઓને જાણ કરવી પણ ફિતનાનો સબબ છે અને આ ભૂલ પર નાદિમ પણ છે.

જવાબ :– મગરિબ અને ઈશાની નમાઝની કઝા કરવી ઈમામ અને મુકતદીઓ બધા જ માટે જરૂરી છે અને આવી ઘટનાઓ સહાબએ કિરામ (રદિ.)ના સમયમાં પણ બની છે, માટે તેમાં સંકોચ અનુભવવાની કે ફિત્નો ઉભો કરવાની કોઈ જ જરૂરત નથી. જો ઈમામ એલાન કરી લોકોને કઝા કરવાની જાણ નહીં કરે તો ગુનેહગાર થશે અને ઈમામના એલાન પછી ઉહાપોહ અને ફિત્નો ઉભો કરનાર ગુનેહગાર ઠરશે.

Log in or Register to save this content for later.