Chapter : નિકાહ
(Page : 89-90)
સવાલ :– જાફર નામના એક છોકરાએ સલમા નામની છોકરી સાથે નિકાહ કર્યા છે, નિકાહ પછી છ યા સાત દિવસે છોકરી છોકરાના ઘરે આવી (એટલે રૂખ્સતી થઈ) ત્યાર બાદ સદર છોકરીને પાંચ મહીના અને દસ દિવસે લગભગ બાળક પેદા થયું, આ બાળક પુરા દિવસોનું તંદુરસ્ત છે અને આ બાળક છોકરીના બીજા કોઈ માણસ સાથે ગલત સંબંધના કારણે પેદા થયું છે, એવી વાત ખાનદાન અને જમાઅતના માણસોમાં ચર્ચાય છે. વધુ તહકીક થઈ શકી નથી, કારણ કે હજુ સલમા અને જાફરમાં સુમેળની ગુંજાઈશ છે, હવે નીચે મુજબનો સવાલ ઉપસ્થિત થાય છે કે છોકરીને છોકરાના નિકાહમાં ગણવી કે કેમ? જો નિકાહમાં ન ગણાતી હોય અને સુમેળ ચાલુ રાખવો હોય તો શું કરવું?
જવાબ :– મજકૂર સૂરતમાં નિકાહના સમયથી છ મહિનાથી ઓછી મુદ્દતમાં બાળક પેદા થયું છે, એટલે મજકૂર ઓરતને જાફર સાથે નિકાહ વખતે હમલ હતો એમ કહેવાશે, પરંતુ શરીઅતની રૂએ જાફરના નિકાહ હમલની હાલતમાં થયેલા હોવા છતાં દુરસ્ત અને જાઈઝ ગણાશે અને હાલ પણ સલમા જાફરના નિકાહમાં પત્ની તરીકે ગણવામાં આવશે.
(દુ.મુખ્તાર શામી – ર/ર૯૧)
માટે તેઓ હવે પછી પણ પતિ પત્ની તરીકે જીવન વિતાવી શકે છે સુમેળ ચાલુ રાખવા કંઈ કરવાની જરૂરત નથી.
Log in or Register to save this content for later.