[૪ર] વધારાના વાસણો પર ઝકાત નથી

Chapter : ઝકાત

(Page : 83)

સવાલ :– અમારી પાસે દહેજમાં મળેલ રૂા ૭૦૦૦/– ના વાસણો પડેલા છે, જેના ઉપર એક વર્ષ પૂરું થયેલ છે જે વાસણો આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લીધેલ નથી, તો મઝકૂર પૂછેલ સૂરતમાં ઝકાત લાગશે કે નહિ, લાગશે તો કેટલી લાગશે તે જણાવશો.

જવાબ :–  મઝકૂર વાસણો વેપારના નથી, માટે તેના ઉપર ઝકાત નહિ લાગે, ચાહે વપરાશથી વધારાના હોય.

Log in or Register to save this content for later.