[પર] હૈઝની હાલતમાં નિકાહ

Chapter : નિકાહ

(Page : 88-89)

સવાલઃ– દુલ્હન હૈઝમાં હોય તે વેળા પઢેલા નિકાહ દુરસ્ત છે ? ચાલુ હૈઝ દરમિયાન નિકાહ પઢેલા દુરસ્ત ન હોય તો એ માટે નિકાહ દુરસ્ત કરી લેવા માર્ગદર્શન આપશો.

જવાબઃ– કોઈ ઓરત સાથે હૈઝની હાલતમાં થયેલા નિકાહ જાઈઝ અને દુરસ્ત છે, અલબત્ત જયાં સુધી હૈઝ પૂરું ન થઈ જાય અને ઓરત પાક ન થઈ જાય ત્યાં સુધી તે ઓરતથી હમ બિસ્તર થવું જાઈઝ નથી.                       (શામી–ર)

Log in or Register to save this content for later.