Chapter : નિકાહ
(Page : 88)
સવાલઃ– એક મરદે ઓરતને ઈસ્લામ ધર્મમાં લાવી ઈસ્લામના મસ્અલા – મસાઈલ શીખવાડયા વગર, નિકાહ થતાં પહેલાં તેની સાથે હમ બિસ્તરી કરી હતી, ત્યાર બાદ નાપાકીની હાલતમાં બન્નેવ નિકાહ પઢયા, તો નિકાહ કબૂલ થશે કે કેમ?
જવાબઃ– નાપાકીની હાલતમાં નિકાહ કરવાનો મતલબ છે કે હરામ સંસારિક સંબંધ કર્યા પછી નિકાહ પઢયા અથવા એ મતલબ છે કે ગુસલ કરતાં પહેલાં જનાબત (નાપાકી)ની હાલતમાં નિકાહ પઢયા, તો નિકાહ તો બન્ને સૂરતોમાં દુરસ્ત થઈ જશે. કારણ કે જયારે ઓરતે પધ્ધતિસર ઈસ્લામ સ્વીકારી લીધો છે તો હવે તે મુસલમાન બની ગઈ છે. ચાહે તો ઈસ્લામી મસાઈલથી વાકિફ ન કરવામાં આવી હોય અને નિકાહ માટે પાક હોવું શર્ત નથી.
Log in or Register to save this content for later.