[૧૭૧] હજ્જે બદલનો ખર્ચ

Chapter : હજ

(Page : 229-230)

સવાલ :– મારા મિત્ર મને એમના વાલિદની હજ્જે બદલ કરવા મોકલે છે અને મક્કહ મુકર્રમહમાં મારા ભાઈ અને સાળા રહે છે આથી ત્યાં રહેવાનો કે ખાવાનો કોઈ ખર્ચ કરવો નહિ પડે તો આવી સૂરતમાં હજ્જે બદલ અદા થઈ જશે અથવા તેમાં કોઈ વાંધો આવશે.

જવાબ :– કોઈ બીજા માણસની હજ્જે બદલ સહીહ થવા માટે અનેક શરતો છે અને તે શરતો પૈકી એક શરત આ પણ છે કે હજના સફરમાં ટિકિટનો, ખાવા, પીવા, મક્કહમાં રહેવાનો અને ન્હાવા – ધોવા વગેરેના મોટા ભાગનો ખર્ચ હજ્જે બદલ માટે મોકલનારની રકમમાંથી થવો જોઈએ, જો થોડો ખર્ચ હજ્જે બદલ કરનાર પોતાની રકમથી અથવા મોકલનાર સિવાય ત્રીજા માણસ તરફથી હોય તો વાંધો નથી, પરંતુ મોટા ભાગનો ખર્ચ મોકલનાર તરફથી જ હોવો જરૂરી છે અને આજકાલ ખાવા – પીવા અને રહેવાનો ખર્ચ મુખ્ય અને મોટો ખર્ચ છે, માટે મજકૂર ખર્ચ મોકલનારની રકમમાંથી જ કરવો જોઈએ. (ઝુ.મનાસિક – ર/૧પ૧)

Log in or Register to save this content for later.