Chapter : નવાફિલ
(Page : 81-82)
સવાલ :– સજદહની હાલતમાં પેશાની ઉપર જે ડાઘ પડી જાય છે તે વિશે કુર્આન મજીદમાં કોઈ ઉલ્લેખ છે કે નહીં ?
જવાબ :– કુર્આને કરીમમાં હઝરાત સહાબએ કિરામ (રદિ.)નો અમલી કમાલ આ પ્રમાણે બયાન કરવામાં આવ્યો છે. સીમાહુમ્ ફી વુજૂહિહીમ્–મિન્ અસરિસ્સુજૂદ (સૂરએ ફતહ, આ. નં. ર૯, પા. ર૬) ભાવાર્થ આ છે કે તેઓની બંદગીની નિશાની તેઓના સજદહની તાસીરથી તેઓના ચહેરાઓ ઉપર પ્રકાશિત છે.
ચહેરાઓ ઉપર બંદગીની નિશાનીની તફસીર મુફસ્સિરે ઉમ્મત હઝ. ઈબ્ને અબ્બાસ (રદિ.)એ આ પ્રમાણે ફરમાવી છે કે કિયામતના દિવસે તેઓના ચહેરાઓ ઉપર એવું નૂર અને સફેદી હશે કે જેનાથી તેઓની ઓળખ થઈ જશે કે દુનિયામાં સજદહગુઝાર હતા.
હઝરત અતાઅ બિન અબી રબાહ (રહ.) અને રબીઅ બિન અનસ (રહ.) ફરમાવે છે કે, (મજકૂર આયતમાં સીમાહુમ ફી વુજૂહિહીમ)થી મુરાદ નમાઝની કસરતના કારણે દુનિયામાં જ ચહેરાઓનું નૂરાની હોવું છે.
હઝરત શહ્ર બિન હવશબ (રદિ.) ફરમાવે છે કે, આખિરતમાં સજદહની જગ્યાઓનું ચૌદમી રાતના ચાંદની જેમ રોશન હોવું મુરાદ છે.
હઝરત ઝહ્હાક (રહ.) ફરમાવે છે કે, રાત્રિ બંદગીની બેદારીના કારણે ચહેરાની પીળાશ મુરાદ છે.
હઝરત ઈકરમહ અને સઈદ બિન ઝુબૈર (રહ.) ફરમાવે છે કે, સજદહના કારણે પેશાની ઉપર માટીનું નિશાન મુરાદ છે.
(તફસીરે મઝહરી ૩૬, ભાગ ૯, અરબી)
હઝરત મવ. મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.) લખે છે કે, ‘‘મુરાદ ઈન આસારસે વહ અનવાર હેં જો અબદિય્યત ઔર ખુશૂઅ વ ખુઝૂઅસે હર મુત્તકી ઈબાદતગુઝારકે ચેહરે પર મુશાહદહ કિયે (દેખે) જાતે હેં પેશાનીમેં જો નિશાન સજદહકા પડ જાતા હૈ વહ મુરાદ નહિં. (મુઆરિફુલ કુર્આન ૯૩, ભા. ૮)
હઝરત અબ્દુલ્લાહ બિન બુસ્ર (રદિ.) હઝરત નબી કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી નકલ કરે છે કે મારી ઉમ્મત કિયામતના દિવસે સજદહના કારણે સફેદ રોશન ચહેરાવાળી હશે અને વુઝૂના કારણે તેના વુઝૂના અવયવો (હાથ–પગ) પણ રોશન સફેદ હશે. (તિરમિઝી શરીફ ૭૮, ભાગ ૧)
તફસીર અને હદીસની ઉપરોકત વિગતથી માલૂમ પડે છે કે પેશાનીની ચામડી ઉપર સજદહથી જે ડાઘ પડી જાય છે. કુરઆન– હદીસમાં તે ડાઘનો કોઈ ઉલ્લેખ નથી.
Log in or Register to save this content for later.