Chapter : ઝકાત
(Page : 79)
સવાલ :– હાલમાં સોના અને ચાંદીના ભાવમાં ઘણો જ તફાવત છે એક કિલો ચાંદીના આશરે સાત હજાર રૂપિયા થાય છે અને સાડા સાત તોલા સોનાની કિંમત ચાલીસ હજાર રૂપિયા જેટલી થઈ જાય છે, આજના આ દૌરમાં સાત હજાર રૂપિયા જેટલી રકમ ઘણી જ મામૂલી કહેવાય, તો શું આટલી રકમમાં પણ ઝકાત (ચાંદી અથવા ચાંદીની કિંમત) રોકડી હોવાની સૂરતમાં ઝકાત લાગુ પડે ? અને ઝકાત લાગુ પડે તો કુરબાની પણ વાજિબ થઈ જાય ? કારણ કે કુરબાનીનું જાનવર પણ ખાસું મોઘું આવે છે (લગભગ એક કિલો ચાંદીની કિંમત જેટલું) અથવા નાનું જાનવર પણ લઈએ તો લગભગ એક હજાર રૂપિયાનું આવે તો તેની શી સૂરત હોય શકે?
જવાબ :– હદીષ શરીફમાં માલદારી માટે સોના અને ચાંદી બન્ને પ્રકારના નિસાબમાંથી ગમે તે પ્રકારનો નિસાબ મોઅતબર ગણવામાં આવ્યો છે, માટે ચાહે ચાંદીની કિંમત સોનાની તુલનામાં ઘણી ઓછી હોય તો પણ તેના આધારે ઝકાત પણ વાજિબ થશે અને કુરબાની પણ વાજિબ થશે, સોના – ચાંદીની કિંમતમાં મુતલક તફાવત તો નબવી યુગમાં પણ મવજૂદ હતો અને કુરબાની મોટા જાનવરમાં એક સાતમો ભાગ રાખવાથી પણ અદા થઈ જાય છે. (શામી–ર/પ)
Log in or Register to save this content for later.