Chapter : નવાફિલ
(Page : 80-81)
સવાલઃ– હદીષ શરીફમાં આવે છે કે ઝોહર પહેલાં ચાર રકઆત નમાઝ તહજ્જુદની ચાર રકઆત જેટલો સવાબ રાખે છે, તો તે ચાર રકઆત કઈ છે? ચાર રકઆત સુન્નતે મુઅક્કદહ કે એ સિવાય બીજી કોઈ નફલ નમાઝ?
જવાબ :– હઝરત ઉમર (રદિ.) ની હદીષમાં આ ચાર રકઆતનું વર્ણન છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે ઝોહરથી પહેલાં અને ઝવાલ પછીની ચાર રકઅત નમાઝ એ (ફઝીલતમાં) સહરીના વખતમાં (અથવા ફજરના વખતમાં) પઢાતી ચાર રકઅતના બરાબર છે અને દરેક ચીઝ તે ઘડીમાં (એટલે કે ઝવાલ વખતે) અલ્લાહ તઆલાની તસ્બીહ પઢે છે, તે પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ આ આયત તિલાવત ફરમાવીઃ
”યતફય્યઉ ઝિલાલુહૂ”
એટલે કે દરેક વસ્તુનો પડછાયો જમણે અને ડાબે ઢળે છે. અલ્લાહ તઆલાની સામે સજદહની હાલતમાં અને આજીઝી કરે છે. (મિશ્કાત શરીફ , મિરકાત – ૩/૧૧પ)
મજકૂર ચાર રકઅતથી ઝોહર પહેલાંની ચાર રકઅત સુન્નતે મુઅક્કદહ મુરાદ છે અને અમૂક ઉલમાએ કિરામ મજકૂર ચાર રકઅતથી ઝોહરની સુન્નતે મુઅક્કદહ વગર બીજી ચાર રકઅત નફલ નમાઝ ઝોહરથી પહેલાં અને ઝવાલ પછી પઢવાનું કહે છે. (ફત્હુલ્ મુલ્હિમ – ર /ર૮૩)
Log in or Register to save this content for later.