Chapter : હજ
(Page : 225-226)
સવાલ :– એક ઔરતના શવહરે આંખોંમાં મોતીનું ઓપરેશન કરાવેલું છે. જેના લઈ તે આંખોથી જોઈ સકતા નથી. બાકી શરીરના બીજા અંગો તંદુરસ્ત અને સહીહ સાલિમ છે હવે જો આ ઔરત અહિંઆથી લંડન જઈ ત્યાંથી પોતાના છોકરા સાથે હજ કરવા જાય અને છોકરો પોતાના બાપ તરફથી હજ્જે બદલ કરે તો જાઈઝ છે કે નહિ?
જવાબ :– પૂછેલી સૂરતમાં જો બાપ પર હજે ફર્ઝ છે અને ઓપરેશનના કારણે હંગામી તોર પર દેખાતું નથી, ઓપરેશનનો જખમ સારો થઈ જતાં દેખાવવાની આશા છે તો છોકરો કે બીજી કોઈ વ્યકિત બાપની ફર્ઝ હજ વતી હજ્જે બદલ કરી સકતી નથી, કારણ કે ફર્ઝ હજ વતી હજ્જે બદલ ના જાઈઝ હોવા માટે અસલ વ્યકિતનું પોતે હજ કરવાથી અશકિતમાન હોવું જરૂરી છે અને તે એવા કારણસર અશકિતમાન હોવું જરૂરી છે કે તે કારણ મોત સુધી બાકી રહે તેમ હોય એટલે જ જો તે કારણ હજ્જે બદલ કરાવ્યા પછી દૂર થઈ જાય અને અસલ વ્યકિત પોતે શકિતમાન બની જાય તો પોતે હજ કરવી ફર્ઝ થઈ જાય છે. હા, જો ઓપરેશન ફેલ જવાથી આંખોની રોશની બિલ્કુલ ખતમ થઈ ગઈ છે અને હવે પછી દેખાવાની આશા નથી તો છોકરો બાપ તરફથી હજ્જે બદલ કરી સકે છે, તે હજ્જે બદલ માટે પોતાના વતનથી કોઈને મોકલે. જો બીજી જગ્યાએથી મોકલશે અને હજ્જે બદલની શર્તો મુજબ હશે તો અસલ વ્યકિતની હજ તો થઈ જશે પણ હજ કરાવનાર ગુનેહગાર થશે.
અને જો બાપ પર હજ ફર્ઝ નથી, છોકરાએ પોતાની હજ કરી લીધી છે અને હવે બાપ તરફથી નફલ હજ્જે બદલ કરવા ચાહે છે તો બાપના શકિતમાન (તંદુરસ્ત) હોવા છતાં પણ કરી શકે છે. (દુર્રે મુખ્તાર શામી સાથે –ર / ર૩૮ થી ર૪ર)
Log in or Register to save this content for later.