Chapter : નમાઝ
(Page : 370)
સવાલ :– બિદઅતી ઈમામ કે જેના અકીદા ગંદા હોય, હુઝૂર (સ.અ.વ.)ને હાજિર નાઝિર સમજે, બુઝુર્ગોને બુરાઈથી યાદ કરે, પોતાની દુઆમાં આ પ્રમાણે શબ્દો ઉચ્ચારે કે ‘ઉન્ઝુર હાલના યા રસૂલલ્લાહ’ બીજા ઘણા શબ્દોથી બુઝુર્ગોને યાદ કરે તો શું એવા ઈમામ પાછળ નમાઝ થશે? મકરૂહ નહિં થાય ? નમાઝ લોટાવવી નહિં પડે ? અને જે વરસોથી એવા બિદઅતી ઈમામ પાછળ નમાઝો પઢી તો શું બધી જ નમાઝો દોહરાવવી પડશે ? અમુક લોકો એમ કહે છે કે અમે તો બિદઅતી ઈમામ પાછળ મસ્લિહતન નમાઝ પઢીએ છીએ. તો એમ ચાલી શકે ખરૂં? શું ઈસ્લામમાં એ પ્રમાણે મસ્લિહત ચાલે છે?
જવાબ :– જે બિદઅતી ઈમામના અકીદહમાં ખરાબી હોય તેની પાછળ નમાજ પઢવી જાઈઝ અને દુરૂસ્ત નથી અને તેની પાછળ પઢેલી નમાઝો લોટાવવી પડશે અને જે બિદઅતી ઈમામના અકીદહમાં ખરાબી ન હોય તે માત્ર બિદઅતના અને ફિસ્કના અમલો કરતો હોય તો ચાહે એવા માણસને ઈમામ નકકી કરવાવાળા લોકો ગુનેહગાર થશે પરંતુ તેવા બિદઅતી ઈમામ પાછળ નમાઝ લોટાવવી જરૂરી નથી. (શામી ભાગ ૧ /૩૭૬)
Log in or Register to save this content for later.