Chapter : નમાઝ
(Page : 369)
સવાલ :– મસ્જિદમાં પીર સાહેબ નમાઝ પઢાવે છે એમને હરકતો વધી જવાથી તેમજ મુસલ્લીઓ નારાઝ હોવાથી રજા આપી દીધી. હવે ટ્રસ્ટીઓ મુસલ્લીઓથી મશ્વેરો કર્યા વગર ફરી એમને રાખવા માંગે છે તો મુસલ્લીઓ નારાઝ હોવા છતાં આ પીર સાહેબને રાખી શકે ?
જવાબ :– જયારે ઈમામ ઈમામત માટે પ્રમાણિક ન હોવાના લઈ નમાઝીઓ તેઓની ઈમામતથી નારાઝ હોય તો મસ્જિદના ટ્રસ્ટીઓ માટે એવી વ્યકિતને ઈમામ નકકી કરવા જાઈઝ નથી. જો તેઓ આવા અપ્રમાણિક માણસને ઈમામત માટે ઈમામ બનાવશે તો તેઓ ગુનેહગાર થશે અને નમાઝીઓની નમાઝ મકરૂહ થવાના ઝિમ્મેદાર ઠરશે અને એવા ઈમામ ઉપર હદીષમાં લઅનત આવી છે. (શામી : ભાગ ૧)
Log in or Register to save this content for later.