[૩૭] સુન્નતે મુઅક્‌કદહના પહેલા કઅ્‌દહમાં દુરૂદ શરીફ

Chapter : નવાફિલ

(Page : 79)

સવાલ :–  ચાર રકઅતવાળી સુન્નતે મુઅક્‌કદહના પહેલા કઅદહમાં તશહ્‌હુદના સાથે દુરૂદ શરીફ પણ ભૂલથી કે જાણી જોઈને પઢી લેવાથી સજદએ સહવ લાગુ પડશે કે નહિ?  (મવ.ઈબ્રાહીમ મુહંમદ દાટા, બારડોલી – સૂરત)

જવાબ :– જો ચાર રકઅત વાળી સુન્નતે મુઅક્‌કદહના પહેલા કઅ્‌દહમાં તશહ્‌હુદ પછી ભૂલથી દુરૂદ શરીફ પઢી લે તો સજદએ સહવ વાજિબ છે, અને જાણી જોઈને પઢે તો તેનો ઈઆદહ વાજિબ છે.   (શામી – ૧/૩૪૩)

Log in or Register to save this content for later.