[૩૪] શેરોની પાછલા વર્ષોની ઝકાત

Chapter : ઝકાત

(Page : 75-76)

સવાલ :–હમારે ત્યાં એક ભાઈએ ૧૯૭૧માં પાંચ શેર લીધા હતા જેની શેર દીઠ ૧રપ રૂપિયા કિંમત હતી. તેજ શેરની કિંમત આજે રર૦૦ છે. આ ભાઈ ૧૯૭૧થી જ સાહિબે નિસાબ છે, પરંતુ આજ સુધી મઝકૂર શેરોની ઝકાત કાઢી નથી તો પૂછવાનું એ કે ૧૯૭૧થી ૧૯૯૩ સુધીની એમના ઉપર કેટલી ઝકાત લાગુ પડશે.

જવાબ :– શેરની ઝકાત માટે જે તે સાલની ઝકાત કાઢવાની હોય તે ઝકાતનું વર્ષ પૂરું થાય અને સાહિબે નિસાબ માલદાર માણસ ઉપર તે વર્ષની ઝકાત વાજિબ થઈ જાય ત્યારે શેરની જે બજાર કિંમત ચાલતી હોય તે હિસાબથી શેરની ઝકાત કાઢવી (અદા કરવી) વાજિબ થાય છે. માટે મઝકૂર પાછલા વર્ષોની ઝકાત કાઢવા માટે પાછલા વર્ષોમાંથી દરેક વર્ષનો શેરનો બજાર ભાવ શું હતો તે જોવાનું રહેશે અને ૧૯૭૧ થી લઈ ૧૯૯૩ સુધીની ઝકાત માટે ઝકાતનું વર્ષ પૂરું થવાની તારીખે શેરનો જે બજાર ભાવ હતો તે મુજબ ઝકાતનો હિસાબ કરવામાં આવશે. દા.ત, ૧૯૭રમાં ર૦૦ રૂપિયા ભાવ હતો, ૧૯૭૩માં રપ૦ હતો ૧૯૭૪માં ૩પ૦ હતો તો આ પ્રમાણે દરેક પાછલા વર્ષની શેરોની ઝકાત માટે પાછલા દરેક વર્ષના મઝકૂર શેરના ભાવથી ઝકાતનો હિસાબ કરવામાં આવશે. અલબત્ત, જો પાછલા વર્ષોનો શેર ભાવ માલૂમ ન થઈ શકે તો સાહિબૈન (રહ.)ના મંતવ્ય પ્રમાણે હાલ ચાલુ ભાવથી ઝકાતનો હિસાબ કરવામાં આવે. બાકી એટલી વાત યાદ રાખવી જોઈએ કે જે શેર નફો લઈ વેચવા માટે ખરીદ કર્યા નથી તેવા શેરની પૂરી કિંમત ઉપર ઝકાત વાજિબ નથી. બલ્કે શેરની કિંમતમાંથી જેટલી મૂડી વેચાણપાત્ર કાચા કે તૈયાર માલમાં લાગેલી છે અને જે ભાગ રોકડ છે તેટલા જ ભાગનો હિસાબ કરીને ઝકાત આપવી ઝરૂરી છે. અલબત્ત, જો મઝકૂર ભાગ છૂટો પાડી હિસાબ કરવો મુશ્કેલ હોય તો પૂરી કિંમતની ઝકાત આપી દેવામાં આવે.             (શામી – ર)

Log in or Register to save this content for later.