[૧૬૧] વિરાસતમાંથી બાપ માટે હજ્જે બદલ કરાવવી

Chapter : હજ

(Page : 219-220)

સવાલઃ– મારા વાલિદ સા. પર હજ ફર્ઝ હતી, ગયા વર્ષે વાલિદ સા. તથા વાલિદહ બંન્‍નએ હજના ફોર્મ ભર્યા હજની પૂરી તૈયારી પણ કરી, વાલિદ સા. નો રમઝાન ઈદની સવારે અચાનક ઈન્તિકાલ થઈ ગયો, વાલિદહએ ઈદદત પૂરી કરી. ચાલુ વર્ષે મારે તેમજ વાલિદહને બન્‍ન જણાને હજ પઢવા જવાનું છે, હું તો વાલિદ સાહેબના માલ – રકમથી હજમાં જઈ રહયો છું, મારી પાસે પોતાની એટલી રકમ પણ નથી કે મારા ઉપર હજ ફર્ઝ થાય મારો કોઈ મોટો કારોબાર પણ નથી. વાલિદ સાહેબની છોડેલ રકમ છે, તો મારે હજમાં કોની નિય્યત કરવાની મારી હજની નિય્યત કરવી કે વાલિદ સાહેબના તરફથી હજ્જે બદલની નિય્યત કરવાની. અગર વાલિદ સાહેબની હજ કરવી હોય તો કઈ હજ કરવી? ઈફરાદ, તમત્તુઅ કે કિરાન? આ ત્રણ પ્રકારમાંથી કઈ હજની નિય્યતથી એહરામ બાંધવું?

જવાબ :– પ્રથમ એ વાત સમજી લેવી જોઈએ કે તમો જે માલથી હજ કરવાના છો, તે માલ હવે વાલિદ સાહેબનો નહિ ગણાય, બલ્કે તમો જેટલા વાલિદ સાહેબના વારસદારો છો, તેઓનો સંયુકત માલ ગણાશે, જો વાલિદ સાહેબે મરતાં પહેલાં પોતાના તરફથી હજ્જે બદલ કરવાની વસિય્યત ન કરી હોય જેમકે સવાલથી માલૂમ પડે છે તો સંયુકત માલમાંથી વાલિદ સાહેબની હજ કરવા માટે બધા બાલિગ વારસદારોની ખૂશી અને રજા શર્ત છે અને ફકત બાલિગ વારિસદારોના ભાગની રકમ જ હજ માટે વાપરી શકાશે નાબાલિગની રકમ વાલિદ સાહેબની હજ્જે બદલ માટે વાપરવી જાઈઝ નથી. જો વાલિદ સાહેબે હજ્જે બદલ માટે વસિય્યત ન કરી હોય તો હજના ત્રણ પ્રકારોમાંથી ગમે તે પ્રકારની હજ કરવી જાઈઝ અને દુરસ્ત છે. (શામી – ર/ ર૪૦)

Log in or Register to save this content for later.