Chapter : નવાફિલ
(Page : 78-79)
સવાલ :– જયારે કે ઈમામ સાહેબે કહયું કે મગરિબની નમાઝ સહીહ થઈ ગઈ, પરંતુ લોકોના ઈસરાર પર ફરી નમાઝ પઢાવી, તો ફરી જે નમાઝ પઢી તે શું નફલ થઈ જશે? અને બીજી જમાઅતમાં શામિલ થનાર મુકતદીની નમાઝ જે ફર્ઝ પઢી રહયા છે તેમની નમાઝનું શું ? જયારે કે સુન્નત કે નફલ ત્રણ રકઅત સાબિત નથી. મજકૂર મસ્અલહમાં વિગતથી રેહબરી ફરમાવશો.
જવાબ :– ત્રણ રકઅત નફલ નહિ ગણાય, કારણ કે નફલની ત્રણ રકઅત સાબિત નથી. અને નવા શામિલ થનાર લોકોની મગરિબની ફર્ઝ નમાઝ સહીહ નહિં ગણાય, તેઓએ ફરીથી પઢવી પડશે. કારણ કે ઈમામની આ નમાઝ ફર્ઝ ન હતી, અને નફલ પણ સહીહ ન હતી. (શામી – ૧ /૪૬પ)
Log in or Register to save this content for later.