Chapter : ઝકાત
(Page : 73-74)
સવાલ :– મારી પાસે હાલમાં દુકાન છે, જેની કિંમત આશરે એક લાખ રૂપિયા છે તો તેની ઝકાત કઈ રીતે આપવી અને આપણી કોઈની પાસે ઉઘરાણી બાકી હોય તો તેના ઉપર ઝકાત લાગુ પડશે ? અને અમુક વેપારીઓને ઉધાર માલના પૈસા દેવાના બાકી હોય છે અને અમુક વેપારી પાસેથી ઉધાર માલના પૈસા લેવાના હોય છે, તો આ સંજોગોમાં ઝકાત લાગુ પડે કે નહિ ?
જવાબ :– જે દુકાન વેચવા માટે ન વસાવી હોય બલ્કે તેમાં પોતે કોઈ વેપાર ધંધો કરવા વસાવી હોય તે દુકાન ઉપર ઝકાત લાગુ નહિ પડે જો નફો લઈ વેચવા માટે વસાવી હોય તો તેના ઉપર ઝકાત લાગુ પડશે. દુકાનમાં જે વેપારનો માલ છે તેની ઝકાત આપવી પડશે અને તે માલની ઝકાત માટે માલની સામાન્ય બજાર કિંમતથી તેની રોકડ રકમથી આકારણી કરે અઢી ટકા લેખે ઝકાત આપવી પડશે. વેપારના માલની જે ઉઘરાણી બાકી હોય તેના ઉપર ઝકાત લાગુ પડશે. વેપારીઓનું જેટલું દેવું પોતાના શિરે હોય તે ઝકાતપાત્ર માલ મિલ્કતમાંથી બાદ કરવામાં આવશે તે બાદ કરતાં જેટલી વેપારની મૂડી બાકી રહે તેની ઝકાત આપવી પડશે. (શામી–ર)
Log in or Register to save this content for later.