[૩૩૧] શીઅહ પાછળ નમાઝ

Chapter : નમાઝ

(Page : 366)

સવાલ :– અમારું પડાણા ગામ બે જમાઅતોનું છે. એક જમાઅતી, બીજી બિન જમાઅતી. બિન જમાઅતીના ઈમામ શીઅહ મસ્લકના છે, પણ પોતાને સય્યિદ કહે છે. શીઅહ મસ્લકની અમુક નિશાનીઓ પણ છે કે એમના ઘરના બધાના જ નામો પાછળ અલી છે. હઝરત ઉમર હઝરત ઉસ્માનગની (રદિ.)ને પણ માનતા નથી અને દરેક બિદઅત કરાવે છે તો ગામમાં મય્યિત થાય અને ઈમામ નમાઝ પઢાવે તો મારે એ ઈમામ પાછળ નમાઝ પઢવી કે કેમ ?

જવાબ :– જો શીઅહના અકીદાઓ ગલત હોય, જેમ કે હઝરત અબૂબક્ર (રદિ.)ના સહાબી હોવાનો ઈન્કાર કરે, હઝરત અલી (રદિ.)ને મા’બૂદનો દરજ્જો આપે, કુરઆનમાં વધઘટ માને અથવા વહી પહોંચાડવામાં હઝરત જિબ્રઈલની ગલતી માને તો તે કાફિર છે. તેની પાછળ નમાઝ પઢવી જાઈઝ નથી. જો આ પ્રકારના ગલત અકીદાઓ ન હોય તો તેની પાછળ નમાઝ પઢી શકાય છે.       (શામી, ભાગ–૧/૩૭૭)

Log in or Register to save this content for later.