Chapter : નમાઝ
(Page : 364)
સવાલ :– મુ. પાટણ, જિ. મહેસાણામાં કોર્ટની સામે ભદ્ર પાટણમાં થરાદી મેમણ બોર્ડિંગ હાઉસ આવેલ છે. તેના સંચાલન હેઠળ એક મસ્જિદ આવેલ છે, તે મસ્જિદના ઈમામ એક મૌલાના (વગર સનદના) રાખેલ છે. તેમનો જમણો હાથ તથા પગ લકવાથી મા’ઝૂર થયેલા છે, જે જનમ વખતથી ખોડ છે, તેઓ જ્યારે નમાઝ પઢાવે છે ત્યારે પણ પગ જમીન સાથે બરાબર રહે છે, પરંતુ જ્યારે કાદહ બાદ કે બીજી રકાત વખતે ઉભા થતાં પગ મૂળ જગ્યાએથી ખસી જાય છે ત્યારે પગનો પંજો અંગૂઠાથી એડી સુધી બરાબર માંડી શકે છે. ફક્ત ઉભા થતાં પગ ઉપાડી ફરીથી અસલ સ્થિતિમાં મૂકવો પડે છે તો શું તેમની પાછળ નમાઝ થશે ?
જવાબ -: લકવાવાળા માણસ પાછળ નમાઝ જાઈઝ તો છે, પરંતુ જો લકવાના લઈ એવી મા’ઝૂરી હોય કે સુન્નત તરીકા મુજબ કયામ–રુકૂઅ–સજદહ અને કઅ્દહ ન અદા કરી શકતા હોય અથવા વુઝૂ, તહારત પૂરી રીતે અદા ન કરી શકતા હોય તો તેઓની ઈમામત મકરૂહે તન્ઝીહી છે. (શામી, ભાગ–૧/૩૭૮)
Log in or Register to save this content for later.