[૧પ૪] બાપે હજ્જે બદલની વસિય્યત કરી હોય

Chapter : હજ

(Page : 213-214)

સવાલ :– એક માણસે તેમના ઉપર હજ ફર્ઝ થઈ ચૂકી છે પણ તે માણસ બીમાર છે મઅઝૂર છે. આંખોની રોશની ખતમ જેવી છે. સાધારણ દેખાય છે તથા બી.પી વધે છે એમનું કહેવું છે કે જીંદગીનો કોઈ ભરોસો નથી તો તે માણસ વસિય્યત કરીને ગુજરી જાય તો તેમનો છોકરો હજ્જે બદલ કરી શકે છે? તે છોકરા ઉપર હજ ફર્ઝ થઈ નથી તો હજ્જે ફર્ઝ ઉતાર્યા વગર હજ્જે બદલ માટે જઈ શકે છે? અને છોકરાઓમાં મોટો છોકરો જઈ શકે છે અથવા નાના છોકરાને જે ઉમર લાયક છે તે જઈ શકે? ખુલાસાવાર લખી જણાવવા મહેરબાની કરશો છોકરાઓ પર હજ ફર્ઝ થઈ નથી તો પોતાના વાલિદ સા. તરફથી છોકરા હજ્જે બદલ માટે જઈ શકે છે કે પછી એવા માણસને મોકલવો કે જેણે પોતાની ફર્ઝ હજ અદા કરી હોય. માટે ખુલાસાવાર જવાબ આપશો.

જવાબ :– જો બાપ પોતાના છોકરાઓને એ પ્રમાણે વસિય્યત કરી જાય કે મારા તરફથી હજ્જે બદલ કરવામાં આવે તો આવી સૂરતમાં કોઈ છોકરો પોતે ત્યારે જઈ શકે છે જયારે કે બધા વરસદારો બાલિગ હોય અને તેઓ બધાજ પોતાનામાંથી કોઈ એકને હજ્જે બદલ માટે મોકલવા સહમત હોય. (શામી – ર/ર૪૮, ઝુ.મનાસિક –ર/૧૬૬) અને બેહતર સૂરત એ છે કે કોઈ એવા માણસને હજ્જે બદલ માટે નકકી કરવામાં આવે કે જે પોતે ફર્ઝ હજ અદા કરી ચૂકયો હોય અને હજના મસાઈલથી અને ખાસ કરી હજ્જે બદલને લગતા મસાઈલથી ખૂબ વાકિફ હોય.

                જે માણસે પોતે ફર્ઝ હજ અદા ન કરી હોય અને તેના ઉપર હજ ફર્ઝ પણ ન હોય તો એવા માણસને હજ્જે બદલ માટે મોકલવો મકરૂહે તનઝીહી અને ખિલાફે અવ્‌લા છે.   (શામી –ર/ર૪૧, જ. ફિકહ –૧)

Log in or Register to save this content for later.