[૩૩] ભેગા મળી સલાતુત્તસ્બીહ

Chapter : નવાફિલ

(Page : 76-77)

સવાલ :– ઘણાં સમયથી અમારી મસ્જિદમાં વર્ષમાં બે વાર સલાતુત્તસ્બીહની જમાઅત સાથે નમાઝ થાય છે, અને ઈમામ સાહેબ એલાન કરી બતાવે છે કે કોઈ પણ મુકતદી જમાઅતની નિય્યત ન કરે ત્યાર બાદ બધા જ સફ બનાવી નમાઝ શરૂ કરે છે અને ઈમામ સાહેબ જોરથી ત્રીજા કલિમાનો અંક પૂરો કરે છે તો મજકૂર સૂરતમાં આ રીતે જમાઅતથી નમાઝ પઢી શકાય કે નહિ?

જવાબ :– સલાતુત્તસ્બીહની નમાઝ માટે સામુહિક રીતે કોઈ વખત નકકી કરી લેવો, તેના માટે મસ્જિદમાં ભેગા થવું, બધાએ સાથે સફ બનાવી મજકૂર નમાઝ પઢવી અને ઈમામ સાહેબે જોરથી તસ્બીહ પઢવી, આ બધી વાતો દુરૂસ્ત નથી અને હદીષ – ફિકહથી સાબિત નથી, માટે આ રીતે ભેગા થઈ સલાતુત્તસબીહ પઢવાનો ત્યાગ કરવો જોઈએ અને દરેકે પોતે પોતાની રીતે ગેર મકરૂહ વખતમાં મઝકૂર નમાઝ અલગ અલગ પઢવી જોઈએ, મજકૂર નમાજ ઈનફિરાદી અમલ છે, ઈજતિમાઈ અમલ નથી.          (શામી – ૧)

Log in or Register to save this content for later.