Chapter : નમાઝ
(Page : 357)
સવાલ :– એક માણસ ઈમામત કરાવે છે તો ઈમામ સા. ને ઘણી વાર વુઝૂ તૂટવા જેવું થઈ જાય છે, જેથી દબાવી રાખે છે. જેનાથી હમારી તથા ઈમામની નમાઝ મકરૂહ થાય છે, કારણ કે પાછળ કોઈ એવો મુક્તદી નથી, જે ઈમામની જગ્યા પર નમાઝ પઢાવી શકે તો આ હાલતમાં ઈમામ સાહેબે શું કરવું જોઈએ ? મુસલ્લા પર ઉભા રહી મુક્તદીઓને કહી શકે છે કે તમારી નમાઝ પઢી લો ? અથવા ઈમામને વારંવાર આવુ થવાથી પોતાની ઈમામત છોડી શકે છે ? જો છોડી શકે તો બીજો કોઈ એવો માણસ નથી જે આ ઈમામની જગ્યા સંભાળી શકે. માટે ખુલાસાથી જવાબ આપશો, જેથી ઈમામ પણ ગુનાહથી છૂટી જાય અને મુક્તદી પણ છૂટી જાય ?
જવાબ :– ઈમામે હવા દબાવીને બળજબરી વુઝૂ રાખી નમાઝ ચાલુ રાખવી મકરૂહ છે, બલ્કે ઈમામે વુઝૂ તૂટતું હોય તો તૂટી જવા દેવું જોઈએ અને વુઝૂ આપમેળે તૂટી ગયા પછી તમારી નમાઝ પઢી લો એવા કોઈ શબ્દો ન બોલવા જોઈએ, નહિં તો બધાની નમાઝ ફાસિદ થઈ જશે, બલ્કે જો કોઈ ઈમામતના લાયક માણસ હોય તો તેને ઈશારાથી આગળ કરી આપવો જોઈએ અને બેહતર સૂરત એ છે કે વુઝૂ તૂટતાં જ સલામ ફેરવી આપે અને વુઝૂ કરી નવેસરથી જમાઅતથી તે નમાઝ પઢાવે–જો મજકૂર ઈમામ સાહેબ શરઈ દ્રષ્ટિએ મઅઝૂર ન હોય તો તેઓની ઈમામત વિના કરાહતે જાઈઝ છે. ઈમામત છોડી આપવી જરૂરી નથી, બાકી એવા માણસને ઈમામ બનાવવો બેહતર છે જેને વારંવાર આવી શિકાયત ન થતી હોય. (શામી : ૧/૪૩૧)
Log in or Register to save this content for later.