Chapter : ઝકાત
(Page : 62-63)
સવાલ :– જે ઝકાત આપવાની હોય છે તે ઝરૂરત કરતા વધારાના સામાન ઉપર આપવાની હોય છે, આવી ઝકાત જે વધારાના માલ સામાન ઉપર હોય તેના ઉપર એકજ વખત તે માલ સામાનની કિંમતના ર।। (અઢી ટકા) લેખે ઝકાત આપવાની છે. મારી પાસે મારા પોતાના ઘર ઉપરાંત વધારાનું એક ઘર છે જેની કિંમતના ર।। ટકા લેખે ગયા વર્ષે ઝકાત આપેલી, આ ઘરમાં કોઈ સુધારો વધારો કરેલ નથી, તો હવે મારું માનવું એમ છે કે મારે ઝકાત આપવી ઝરૂરી નથી. તો આ બાબત વિગતથી જણાવશો.
જવાબ :– વધારાની દરેક માલ મિલ્કત ઉપર ઝકાત ફર્ઝ નથી, બલ્કે સોનું ચાંદી અથવા રોકડ રકમ હોય અને જો તે માલિક માલદાર હોય તો આ ત્રણ વસ્તુઓની ઝકાત આપવી પડે છે, ચાહે તે વેચાણ વેપાર માટે હોય કે ન હોય અને જો આ ત્રણ વસ્તુઓ સિવાય પોતાની ઝરૂરતથી વધારે બીજી કોઈ વસ્તુ હોય, જેમકે મકાન, ફર્નિચર, વાસણો તો આવી વસ્તુની ઝકાત આપવી ત્યારે ફર્ઝ છે જયારે કે તે વસ્તુઓ વેપાર માટે હોય, જો વેપાર વેંચાણની નિય્યતથી ન રાખી હોય તો ચાહે ઝરૂરતથી વધારે હોય તો પણ તેની ઝકાત આપવી ઝરૂરી નથી, માટે જો તમારું વધારાનું ઘર વેપાર–વેચાણની નિય્યતથી ન ખરીદયું હોય તો તેની ઝકાત આપવી ઝરૂરી નથી અને જો વેચાણની નિય્યતથી ખરીદયું હોય તો તેની બજાર કિંમત આંકીને ઝકાત આપવી ઝરૂરી છે અને તે ઝકાત દર વરસે આપવી ઝરૂરી છે, માત્ર એક વર્ષ આપવી પૂરતી નથી. (શામી–ર)
Log in or Register to save this content for later.