[૧૪ર] વાલિદહની હજ બીજી વ્યકિતથી કરાવવી

Chapter : હજ

(Page : 201-202)

સવાલ :– અમારા વાલિદ સાહેબ ગુજરી ગયા છે એમણે હજનું ફોર્મ ભરેલું પણ મંજૂર થયું નહિ. હવે ઈન્તિકાલ વખતે એમણે હજની વસિય્યત કરી નથી. તે છતાં અમો વારિસો અમારા માલમાંથી એમની હજ્જે બદલ કરાવવા ઈચ્છીએ છીએ જો કે હમારી ઉપર હજ ફર્ઝ થાય છે પણ ભારતના નિયમોના આધારે આ વર્ષે અમારે હજ કરવી શકય નથી તો આવા સંજોગોમાં અમારા માલમાંથી બીજી વ્યકિત જે સઉદી પાસપોર્ટ ધરાવે છે અથવા ત્યાં રહે છે એના મારફત વાલિદ સાહેબની હજ કરાવીએ તો ચાલશે કે નહિ?

જવાબ :–પોતાના પર હજ ફર્ઝ હોવા છતાં વાલિદ સાહેબ મર્હૂમ માટે હજ્જે બદલ કરાવી શકાય છે. હા, પોતાની હજ અદા કર્યા સિવાય પોતે હજ્જે બદલ માટે જવું મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે.

                અને મજકૂર સૂરતમાં વાલિદ મર્હૂમ તરફથી વસિય્યત નથી એટલે ત્યાં રહેતી હોય તેવી વ્યકિતથી પણ હજ્જે બદલ કરાવી શકાય છે. બાકી અફઝલ એ છે કે મર્હૂમના વતનથી મોકલવામાં આવે અને જરૂરી છે કે ના બાલિગ અવલાદનો માલ ઉપયોગ કરવામાં ન આવે. (શામી – ર/ર૩૯ થી ર૪ર)

Log in or Register to save this content for later.