[ર૮] તલાક વાળી વૃધ્ધ ઓરત અને મર્દનું એક મકાનમાં રહેવું

Chapter : નિકાહ

(Page : 58-59)

સવાલઃ– જો ઓરત માણસ ઉપર હરામ થઈ જાય તો હવે બન્‍નેવને રહેવાની શું સૂરત છે? તલાક આપે તો ઓરતને કોઈ રાખનાર નથી. બીજી શાદી કરી શકે એવી હાલત નથી કારણ કે ઉમરમાં ઘણી જ મોટી છે તો ઘરમાં રહે અને ઓરત સાથે ઓરત જેવો સંબંધ ન રાખે, ફકત વાત કરે તો રહી શકે છે? એનાથી બાળકોની તરબિયત અને દેખરેખ પણ રાખી શકાય છે.

જવાબઃ– તલાક ન આપે તો પણ ઓરત તો હરામ થઈ જશે અને નિકાહ પણ ફાસિદ થઈ જશે અને માણસ માટે જરૂરી છે કે તે આ પ્રમાણેનું વાકય કે ”આજથી હું તેને છોડી રહયો છું” બોલી નિકાહે ફાસિદમાંથી પણ ઓરતને છુટી કરી દે, રહી વાત બન્‍નેવના એક ઘરમાં રહેવાની તો જો બન્‍ને સાઠ (૬૦) વર્ષની લગભગ ઉમરના હોય અને કોઈ પણ પ્રકારના ફિતનામાં પડવાનો ભય ન હોય અને સવાલમાં લખવા મુજબ મજબૂરી હોય તો તેઓ પરાયા સ્ત્રી પુરૂષ તરીકે પૂરી સાવચેતી પૂર્વક એક ઘરમાં રહી શકે છે, પરંતુ દરેકનો સુવા બેસવાનો રૂમ તો અલગ જ રાખવો  જોઈએ.                                                                                                                   (શામી : ર/૬રર)

Log in or Register to save this content for later.