[૩૧પ] પાડોશી સાથે દુશ્મનાવટ રાખનારની ઈમામત

Chapter : નમાઝ

(Page : 355)

સવાલ :– હમારા ભાઈએ બકરા રાખવા માટે એક વાડો પોતાની જમીન ઉપર બનાવ્યો, પણ એમની પડોશમાં એક મોલ્વી સા. રહે છે. તેઓએ દાવો કર્યો કે આ જમીન મારી છે અને સિટી સર્વે ઓફિસર તથા મ્યુનિસિપલ ઓફિસરને બોલાવી માપણી કરાવી. તેઓએ માપણી કરતાં જમીન હમારા ભાઈની જ નીકળી. ફક્ત ૧॥ ફૂટ જમીન સિટી સર્વેની છે. મોલ્વી સા.નું કંઈ નથી પણ મોલ્વી સાહેબે લાગવગ લગાવી આ દોઢ ફૂટ જમીન તોડાવી નંખાવી તો આવા સારા માણસ પડોશીને નાહક સતાવે તો શું એમનાં પાછળ નમાઝ થાય કે નહિં?

જવાબ :– આ પ્રમાણે પડોશી સાથે જો વિના કારણે દુશ્મનાવટ રાખે તો એ નાજાઈઝ છે અને મોલ્વી સાહેબની ઈમામતમાં કરાહત આવશે. (શામી: ૧/૩૮૧, ભાગ–૪)

Log in or Register to save this content for later.