[૩૧૩] બેન્ડવાળી બારાતથી અલગ થનારની ઈમામત

Chapter : નમાઝ

(Page : 352-353)

સવાલ :– હકીકત આ પ્રમાણે છે કે હું ગામમાં ઈમામતની હૈસિયતથી ઝિમ્મેદારી બજાવું છું. એક દિવસ રાત્રે હઝામ તથા ઘરની બે વ્યક્તિઓ સાથે સવારમાં બારાતમાં જવા બાબત મને દઅવત આપવામાં આવી. મજકૂર દઅવતના લઈ તથા આપસમાં મુહબ્બતના સંબંધના લઈ બીજા ગામ બારાતમાં જવાનો ઈરાદો કર્યો, જ્યારે બારાત બીજા ગામ પહોંચી જેમાં હું પણ શામિલ હતો ત્યાં જોયું તો બેન્ડ વાગી રહેલ છે. હું ત્યાંથી અલગ થઈ સાઈડ ઉપર બેસી ગયો. ફક્ત એ જ હેતુથી કે આ વસ્તુ આલિમની શાન તથા ઈમામતના વિરૂદ્ધ છે. મતલબ કે હું સમાજની દ્રષ્ટિએ તથા આપસમાં મુહબ્બતના કારણે બારાતમાં ગયો, પરંતુ બેન્ડ–વાઝા સાંભળવાનો જરા પણ મારો હેતુ ન હતો. આવી હાલતમાં જ્યારે કે હું બેન્ડ–વાઝાના શોખમાં તથા સાંભળવાના હેતુસર બારાતમાં નથી ગયો. ફક્ત સમાજ તથા મુહબ્બતના સંબંધથી બારાતમાં ગયો હતો તો મારી પાછળ નમાઝ પઢનારની નમાઝમાં કંઈ વાંધો ખરો ? અમુક વ્યક્તિઓનું કહેવું એમ છે કે આ ઈમામ પાછળ (મારી પાછળ) નમાઝ પઢવી હરામ છે. સાથે સાથે આવું કહેનાર વ્યકિતનું કહેવું કે આ ઈમામ પાછળ નમાઝ પઢવી હરામ છે, એ દુરૂસ્ત છે ?

જવાબ :– મજકૂર સૂરતમાં ઈમામ સાહેબે કોઈ નાજાઈઝ કામ કર્યું હોય એ સાબિત નથી, બલકે સવાલથી માલૂમ પડે છે કે તેઓએ શરીઅતના મુતાબિક અમલ કર્યો છે. કારણ કે તેઓને પહેલેથી બેન્ડ–વાઝાની ખબર ન હતી એટલે દઅવત કબૂલ કરી બારાતમાં ગયા અને ત્યાં બેન્ડ–વાઝુ જોયું તો તે જગ્યાએથી અલગ થઈ ગયા. માટે તેઓની ઈમામત વગર કરાહતે દુરૂસ્ત છે. કોઈ ભાઈનું તેઓની પાછળ મજકૂર બનાવના લઈ નમાઝને હરામ કહેવું દુરૂસ્ત નથી, વગર તહકીકે એવું કહેવાથી ગુનેહગાર થશે.             (શામી, ભાગ–પ/રર૧)

Log in or Register to save this content for later.