Chapter : નમાઝ
(Page : 332)
સવાલ :– ઈમામ સાહેબ પાછળ મુકતદીઓએ દરેક રકાતમાં તકબીર (અલ્લાહુ અકબર) કહેવી પડે કે નહિ અને જો મુકતદી તકબીર ન કહે તો તેની નમાઝમાં કંઈ વાંધો આવે કે નહિ ?
જવાબ :– મુકતદીએ પહેલી રકાત શરૂ કરતી વખતે તકબીરે તહરીમા કહેવી ફર્ઝ છે, જો નમાઝ શરૂ કરતી વખતે મુકતદી તકબીરે તહરીમા નહિ કહે તો તેની નમાઝ અદા જ નહિ થાય અને બાકીની તકબીરો કહેવી સુન્નત છે, જો સુન્નત તકબીર તે ઈરાદાપૂર્વક નહિ કહે તો તેની નમાઝમાં કરાહત આવશે અને તે ગુનાહગાર થશે. (‘શામી ૧/૩૧૬,૩૧૮)
Log in or Register to save this content for later.