[૩૦પ] મુકતદીએ પણ તકબીરો કહેવી જોઈએ

Chapter : નમાઝ

(Page : 332)

સવાલ :– ઈમામ સાહેબ પાછળ મુકતદીઓએ દરેક રકાતમાં તકબીર (અલ્લાહુ અકબર) કહેવી પડે કે નહિ અને જો મુકતદી તકબીર ન કહે તો તેની નમાઝમાં કંઈ વાંધો આવે કે નહિ ?

જવાબ :– મુકતદીએ પહેલી રકાત શરૂ કરતી વખતે તકબીરે તહરીમા કહેવી ફર્ઝ છે, જો નમાઝ શરૂ કરતી વખતે મુકતદી તકબીરે તહરીમા નહિ કહે તો તેની નમાઝ અદા જ નહિ થાય અને બાકીની તકબીરો કહેવી સુન્નત છે, જો સુન્નત તકબીર તે ઈરાદાપૂર્વક નહિ કહે તો તેની નમાઝમાં કરાહત આવશે અને તે ગુનાહગાર થશે.        (‘શામી ૧/૩૧૬,૩૧૮)

Log in or Register to save this content for later.