Chapter : નમાઝ
(Page : 331)
સવાલ :– ઈમામ સાહેબ ફર્ઝ નમાઝ પઢાવે ત્યારે મુકતદીએ પાછલી બે રકાતોમાં અલ્હમ્દુની સૂરત પઢવાની કે નહિ ? મુકતદીએ નમાઝમાં ઈમામ સાથે કઈ કઈ વસ્તુઓ પઢવી જોઈએ ?
જવાબ :– મુદરિક અને લાહિક મુકતદીએ ઈમામ પાછળ સદંતર કિરાઅત પઢવાની નથી અને મુકતદીએ કિરાઅત પઢવી જાઈઝ પણ નથી, બલકે ચૂપચાપ ઊભા રહેવું વાજિબ છે. અને મસબૂક મુકતદીએ પણ ઈમામ સાથે જોરથી કે આહિસ્તા કિરાઅત પઢવાની નથી. અલબત્ત, ઈમામના સલામ કહ્યા પછી પોતાની છૂટેલી રકાતોમાં રકાતોની તરતીબ મુજબ અઊઝુ, બિસ્મિલ્લાહ, સૂરએ ફાતિહા અને સૂરત પઢવી પડશે. ઈમામ સાથે નમાઝ પઢનાર મુકતદીએ અઊઝુ, બિસ્મિલ્લાહ અને તસમીઅ (સમિઅલ્લાહુ લિમન્ હમિદહ) પણ પઢવાની નથી અને અઊઝુ, બિસ્મિલ્લાહ, કિરાઅત તથા તસમીઅને છોડીને બીજા બધા જ ફર્ઝ, વાજિબ અને મસનૂન અઝકાર (તકબીરે તહરીમા, તશહહુદ, સલામ, સના, દુરૂદ શરીફ, રુકૂઅ, સજદહની તકબીર, તસ્બીહ, તહમીદ આમીન, દુઆ) મુકતદી માટે પણ ઈમામ સાથે પઢવા ફર્ઝ, વાજિબ અને મસ્નૂન છે. ઈમામ સાહેબ તહમીદ (રબ્બના વ લકલ હમ્દ) નહિ પઢે, પરંતુ કવ્મહ શાંતિપૂર્વક અદા કરવામાં, જો ઈમામ આહિસ્તા તહમીદ પઢશે તો સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ વાંધો પણ નથી. (‘શામી ૧)
Log in or Register to save this content for later.