[ર૯ર] રકઅતના ક્રમ મુજબ સૂરએ ઈખ્લાસની કિરાઅત

Chapter : નમાઝ

(Page : 320)

સવાલ :– કેટલાક લોકો તહજ્જુદની નમાઝ આ પ્રમાણે પઢે છે કે પહેલી રકાતમાં સૂરએ ફાતિહા પછી એક વખત સૂરએ ઈખ્લાસ, બીજી રકાતમાં બે વખત સૂરએ ઈખ્લાસ, ત્રીજીમાં ત્રણ વખત એવી જ રીતે બારમી રકાતમાં સૂરએ ફાતિહા પછી બાર વખત સૂરએ ઈખ્લાસ પઢે છે તો શું આ રીત જાઈઝ છે ? નમાઝમાં કંઈ ખામી આવશે ? દરરોજ આ રીતે તહજ્જુદની નમાઝ પઢી શકાય ?

જવાબ :– તહજ્જુદની નમાઝમાં સવાલમાં લખેલી વિગત મુજબ કિરાઅત કરવાની કોઈ ફઝીલત હદીસ શરીફથી સાબિત નથી અને એ પ્રમાણે દરેક રકાતમાં ચઢતા ક્રમે કિરાઅત કરવી મકરૂહ છે અને સૂરએ ઈખ્લાસને કિરાઅત માટે નક્કી કરી લેવી પણ મકરૂહ છે, કારણ કે નફલ નમાઝની બીજી રકઅતમાં પહેલી રકઅત કરતાં લાંબી કિરાઅત કરવી મકરૂહ છે, માટે લખેલી વિગત મુજબ તહજ્જુદની નમાઝ પઢવાથી બચવું જોઈએ અને મુસ્તહબ તરીકાથી કિરાઅત પઢવી જોઈએ.

(શામી, ભાગ–૧/૩૬પ, કબીરી : ૪૩૩)

Log in or Register to save this content for later.