Chapter : નમાઝ
(Page : 319)
સવાલ :– હું હાફિઝ છું, પરંતુ કુર્આન શરીફ પઢવાનો ટાઈમ પાબંદીથી મળતો નથી અને કિરાઅત પણ તજવીદ સાથે પઢી શકું છું, હાલ ઈમામત કરાવું છું. તો હું ફજરની નમાઝમાં અલિફ–લામ–મીમથી શરૂ કરું છું અને રોજ બે–ત્રણ રુકૂઅ પઢું છું અને એવી જ રીતે આગળ વધુ છું, ફજરની નમાઝમાં આ પ્રમાણે કુર્આન પૂરું કરું છું તો આ પ્રમાણે પઢવું મકરૂહ છે કે નહિ ? હું જાતે નમાઝ પઢાવું છું તો પઢવાનો સવાબ અલગ મળશે ? એમાં નિય્યત ફક્ત કુર્આન શરીફ સહીહ યાદ રહે, ભૂલી ન જવાય, એ જ છે તો પઢી શકાય ?
જવાબ :– નમાઝ તો વિના કરાહતે અદા થઈ જશે, પરંતુ તિવાલે મુફસ્સલની સુરતોમાંથી ફજરની નમાઝમાં કિરાઅત કરવી મસ્નૂન છે. કુર્આન શરીફ યાદ રાખવા માટે સુન્નતો અને નવાફિલમાં પઢવાની આદત બનાવી લેવામાં આવે. (શામી,–૧)
Log in or Register to save this content for later.