Chapter : નમાઝ
(Page : 317)
સવાલ :– ચાર રકઅતવાળી ફર્ઝ નમાઝમાં બે રકઅતમાં કિરાઅત મેળવીએ છીએ, બેમાં નહિં, જ્યારે કે સુન્નત–વાજિબ નમાઝની દરેક રકઅતમાં કિરાઅત મેળવીએ છીએ, એની શું હકીકત છે ?
જવાબ :– ઈસ્લામમાં નમાઝ ફર્ઝ થવાના આરંભકાળમાં દરેક નમાઝની બે–બે રકઅતો ફર્ઝ હતી. તે પછી મજકૂર બે રકઅતોની ખામી રહિત સંપૂર્ણ અદાયગી માટે ઝોહર, અસર અને ઈશામાં ફર્ઝ તરીકે બીજી બે રકઅતોનો અને મગરિબમાં એક રકઅતનો વધારો કરવામાં આવ્યો અને કાયદો છે કે સામાન્ય રીતે કોઈ વસ્તુના નુકસાનની તલાફી માટે તે જ પ્રકારની એવી વસ્તુનો વધારો કરવામાં આવે છે કે અસલ વસ્તુથી નીચલી કક્ષાની અને ઉતરતી હોય, માટે વધારાની રકઅતોમાં સૂરએ ફાતિહા સાથે બીજી સૂરત પઢવામાં આવતી નથી અને સુન્નત, નફલ અને વાજિબની એક સલામથી બેથી વધુ પઢવામાં આવતી રકઅતો એક અલગ જ નમાઝ ગણાય છે. પહેલી બે રકઅતોનો વધારો નથી ગણાતો. માટે તેની દરેક રકઅતમાં બીજી સૂરત પઢવામાં આવે છે.
(અલ્ મસાલિહુલ અકલિય્યહ: ૬૮)
Log in or Register to save this content for later.