Chapter : નમાઝ
(Page : 314)
સવાલ :– હું મુંબઈમાં કંદુરી મસ્જિદમાં નમાઝ અદા કરતો હતો તે વખતે મૌલાના ઉમર સાહેબ (અત્યારે તબ્લીગી જમાઅતના રૂહેરવાં છે) ત્યાં પેશઈમામ હતા. તેમની પાછળ હું નમાઝ પઢતો હતો. મજકૂર મૌલાના સાહેબ ઝોહર, અસર તથા ઈશાની ચાર રકાત ફર્ઝમાં ત્રીજી અને ચોથી રકાતમાં ફક્ત બે મિનિટમાં જ રુકૂઅમાં જતા હતા, જેથી મને કુતૂહલ થયું અને દીનદાર ભાઈઓને પૂછતાં મને જાણવા મળ્યું કે ફર્ઝની ત્રીજી અને ચોથી રકાતમાં અલ્હમ્દુ શરીફ ન પઢો અને ફક્ત બે મિનિટ એટલે કે ત્રણ વખત સુબ્હાનલ્લાહ કહો ત્યાં સુધી ઉભા રહી રુકૂઅમાં જાઓ તો નમાઝ અદા થઈ જશે, તો આ વિશે માર્ગદર્શન આપશો.
જવાબ :– ફર્ઝ નમાઝની ત્રીજી અને ચોથી રકાતમાં કોઈ માણસ સૂરએ ફાતિહા ન પઢે અને સુબ્હાનલ્લાહ પણ ન પઢે, બલ્કે ત્રણ વાર સુબ્હાનલ્લાહ પઢી શકાય એટલી વાર ખામોશ ઉભો રહીને રુકૂઅમાં જાય તો એ પણ જાઈઝ છે અને તેની નમાઝ દુરુસ્ત અને અદા થઈ જાય છે, પરંતુ ખામોશ રહેવા કરતાં મજકૂર રકાતોમાં સૂરએ ફાતિહા પઢવી એ વધુ અફઝલ અને સવાબની વાત છે. (શામી : ૧/૩૪૩)
Log in or Register to save this content for later.