Chapter : નમાઝ
(Page : 313)
સવાલ :– હાફિઝે કુર્આન ઈમામ હોય અને તેમણે જે રુકૂઅ અને સૂરતો મશ્ક કરેલી હોય તે જ નમાઝમાં પઢયા કરે અને કુર્આન શરીફનો બીજો ભાગ ન પઢે તો કંઈ વાંધો આવશે ?
જવાબ :– કોઈ એક નમાઝ માટે અથવા દરેક નમાઝ માટે કોઈ સૂરત અથવા રુકૂઅની કિરાઅત નક્કી કરી લેવી અને તેને જરૂરી સમજી અથવા જરૂરી સમજ્યા વગર હંમેશા તે જ સૂરત પઢવી મકરૂહ છે, પરંતુ અનેક સૂરતો અને રુકૂઓમાંથી ફેરબદલ કરી પઢવું એ વગર કરાહતે જાઈઝ છે. નમાઝ મકરૂહ નહિં થાય. બાકી દરેક નમાઝમાં મસનૂન કિરાઅતનો ઉત્સાહ રાખવો જોઈએ. (શામી : ૧/૩૬પ)
Log in or Register to save this content for later.