[ર૭૮] ‘બિસ્મિલ્લાહ કઈ સૂરતની આયત છે ?

Chapter : નમાઝ

(Page : 308)

સવાલ :– ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ કુર્આન શરીફની કઈ સૂરતની આયત છે ? અને કેટલામી આયત છે ? કેમકે તે દરેક સૂરત ઉપર લખાય છે પણ તેને નંબર અપાયો નથી. તો એ આયત છે કે નથી ? જો કોઈ પણ સૂરતની આયત ન હોય તો કુર્આન મજીદમાં તે ગણતરીમાં લેવાય છે ? કુર્આન મજીદના અક્ષરો સુદ્ધાં ગણાયેલા છે તો આ આયતની ગણતરી કઈ સૂરતમાં છે ?

જવાબ :– ‘બિસ્મિલ્લાહ પૂરા કુર્આન શરીફની એક આયત છે, જે દરેક બે સૂરતો વચ્ચે અંતર કરવા ઉતારવામાં આવી છે. પરંતુ એ સૂરએ ફાતિહાની કે બીજી કોઈ સૂરતની આયત નથી, એટલા જ માટે સૂરતોની આયતોની ગણતરીમાં એને અનુક્નમ નંબર આપવામાં આવતો નથી. હા, પૂરા કુર્આન શરીફની એક આયત છે, માટે બધી સૂરતોની કુલ છ હજાર બસો છત્રીસ (૬ર૩૬) આયતોમાં બિસ્મિલ્લાહનો એક આયત તરીકે ઉમેરો કરવાથી પૂરા કુર્આન શરીફની આયતો છ હજાર બસો સાડત્રીસ (૬ર૩૭) માનવામાં આવશે. અને કુર્આન શરીફના બીજા હુકમો બિસ્મિલ્લાહ પર પણ લાગુ પડશે. જેમકે,

એને વગર વુઝૂએ હાથ નહિ લગાવી શકાય, જનાબત અને હૈઝ (માહવારી) તથા નિફાસની હાલતમાં તિલાવતની નિય્યતથી નહિ પઢી શકાય. હા, કોઈ કામ શરૂ કરતી વખતે દુઆ તરીકે મજકૂર હાલતોમાં પણ બિસ્મિલ્લાહ પઢવી જાઈઝ છે અને એના જ લઈ કે પૂરા કુર્આન શરીફની એક આયત છે, તરાવીહે રમઝાન મુબારકમાં પણ એક વખતે જોરથી પઢવામાં આવશે, તાકે કુર્આન શરીફની એક આયત જહરી તિલાવતમાં બાકી ન રહી જાય અને મુકતદીઓના કુર્આન સાંભળવામાં એક આયત છૂટી ન જાય.

                સૂરતોની શરૂમાં લખાતી બિસ્મિલ્લાહ સિવાય સૂરએ ‘નમ્લમાં પણ એક બિસ્મિલ્લાહ છે પરંતુ તે એક આયત નથી, આયતનો એક ભાગ છે.              (‘તફસીરે મઝહરી ૧/૩, ‘દુર્રે મુખ્તાર‘શામી૧/૩૩૦)

Log in or Register to save this content for later.