Chapter : નમાઝ
(Page : 304)
સવાલ :– રુકૂઅથી સજદહમાં જતી વખતે તકબીર કહી ઈમામ સાહેબ થોડી વાર કયામ કરે છે, પહેલાં તેઓ આ રીતે ફર્ઝ નમાઝ પઢાવતા ન હતા, આ બાબતનો હનફી મસ્લક પ્રમાણે ખુલાસો જણાવશો.
જવાબ :– રુકૂઅમાં ઉભા થઈને એક વખત સુબ્હાનલ્લાહ પઢવા બરાબર થોભવું વાજિબ છે. જો ઈમામ સાહેબ એટલી વાર થોભીને સજદહમાં જતા હોય તો તેમનો અમલ સુન્નત અને વાજિબ મુજબ છે. (‘શામી’ ૧ / ૩૧ર)
Log in or Register to save this content for later.