[ર૭ર] કિરાઅત પછી થોભીને રુકૂઅ

Chapter : નમાઝ

(Page : 304)

સવાલ :– હાલ થોડાક સમયથી મસ્જિદના ઈમામ સાહેબ ફર્ઝ નમાઝના કયામમાં કિરાઅત પૂરી કરી રૂકૂઅમાં જતા પહેલાં થોડો સમય ઉભા રહે છે ત્યાર બાદ રુકૂઅમાં જાય છે, આ અગાઉ ઈમામ સાહેબ ફર્ઝ નમાઝમાં ઉપર દર્શાવ્યા મુજબ નમાઝ પઢાવતા ન હતા, અગાઉ જયારે તેઓ નમાઝ પઢાવતા હતા ત્યારે તકબીર બાદ કિરાઅત પૂરી થતા થોડો સમય ઉભા ન રહેતા હતા, હાલ ઉપર મુજબ નમાઝ પઢાવતા ઘણા નમાઝીઓ આવી પરિસ્થિતિમાં રુકૂઅમાં આગળ ચાલ્યા જાય છે એટલે કે નમાઝીઓ ઈમામ રુકૂઅમાં જાય તે પહેલાં રુકૂઅમાં ચાલ્યા જાય છે, હનફી મસ્અલા પ્રમાણે કિરાઅત પૂરી થયા પછી કયામમાં ઉભા રહેવું જોઈએ કે કેમ ?

જવાબ :– કિરાઅત પૂરી થયા બાદ ઈમામ સાહેબે તૂરત રુકૂઅમાં જવું જોઈએ, કિરાઅત બાદ થોભવું સુન્નત કે મુસ્તહબ નથી, બલકે થોભવામાં નુકસાન છે કે મુકતદીઓ આદત મુજબ ઈમામથી પહેલાં રુકૂઅમાં ચાલ્યા જાય છે, જે નાજાઈઝ છે અને તેનો ઝરિયો ઈમામ સાહેબ બને છે.                                      (‘શામી’ ૧ / ૩૩૧)

Log in or Register to save this content for later.