Chapter : નમાઝ
(Page : 303)
સવાલ :– હું દરેક નમાઝની નિય્યત કરતા પહેલાં બિસ્મિલ્લાહિ ર્રહમાનિર્રહીમ પઢું છું. જેવી રીતે કે ઝોહરની ચાર રકઅત સુન્નતની નિય્યત કરતા પહેલાં બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ પઢું છું અને ત્યાર પછી નિય્યત કરૂં છું. એવી જ રીતે ચાર રકાત ફર્ઝ પહેલાં, બે રકઅત સુન્નત અને બે રકઅત નફલની નિય્યત પહેલાં બિસ્મિલ્લાહિ ર્રહમાનિર્રહીમ પઢું છું. તો શું દરેક નમાઝની નિય્યત પહેલાં બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ પઢવું જરૂરી છે કે નહિ? અથવા બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ આખું પઢયા વગર નમાઝની નિય્યત કરી શકાય ?
જવાબ :– કોઈ હદીષ શરીફ કે ફિકહની કિતાબમાં એ વાત નજરે પડી નથી કે ખાસ નમાઝની નિય્યત પહેલાં બિસ્મિલ્લાહ પઢવી જોઈએ, અલબત્ત, હદીષ શરીફમાં દરેક અઝમત અને અહમિય્યત વાળા કામની શરૂમાં બિસ્મિલ્લાહ ન પઢવા ઉપર બે બરકતીની વઈદ આવેલી છે, અને નમાઝ જેવા મહાન અમલની નિય્યત પણ અહમ કામ છે, અને મજકૂર હદીષના કારણે ફુકહાએ કિરામ દરેક અહમ કામની શરૂમાં બિસ્મિલ્લાહ પઢવાને સુન્નત લખે છે, માટે નમાઝની નિય્યત પહેલાં બિસ્મિલ્લાહ પઢવી મતલૂબ અને મુસ્તહબ છે. (શામી –૧/૬)
Log in or Register to save this content for later.